દિલ્હીની ઓક્સિજન પુરવઠાની અછતને પૂર્ણ કરવા સુપ્રીમ કોર્ટનો આદેશ
Live TV
-
સુપ્રીમ કોર્ટે આજે મધરાત સુધીમાં દિલ્હીની ઓક્સિજન પુરવઠાની અછતને પૂર્ણ કરવા માટે આદેશ આપ્યો છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર હોસ્પિટલોમાં દર્દીઓને ભરતી કરવા અંગેની પ્રક્રિયાને લઈને એક રાષ્ટ્રીય સ્તરની નીતિ બનાવશે.
સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારોને કોવિડ પ્રબંધનને લઈને નવા દિશા-નિર્દેશો આપવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે આજે મધરાત સુધીમાં દિલ્હીની ઓક્સિજન પુરવઠાની અછતને પૂર્ણ કરવા માટે આદેશ આપ્યો છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર હોસ્પિટલોમાં દર્દીઓને ભરતી કરવા અંગેની પ્રક્રિયાને લઈને એક રાષ્ટ્રીય સ્તરની નીતિ બનાવશે. કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવનાર આ નીતિને દેશની તમામ રાજ્ય સરકારોએ પણ અનુસરવું પડશે.
