દિલ્હીનું ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમ હવેથી અરૂણ જેટલીના નામથી ઓળખાશે
Live TV
-
દિલ્હી અને જિલ્લા ક્રિકેટ સંઘ એ મંગળવારે ફિરોજશાહ કોટલા સ્ટેડિયમનું નામ તેના પૂર્વ અધ્યક્ષ અરુણ જેટલીના નામ પર રાખવાનો નિર્ણય કર્યો છે.
પૂર્વ કેન્દ્રિય મંત્રી અરુણ જેટલીનું શનિવારે નિધન થયું હતું. આ સ્ટેડિયનને હવે અરુણ જેટલી સ્ટેડિયમના નામથી ઓળખવામાં આવશે. તેનું નવું નામકરણ આગામી તા. 12 સપ્ટેમ્બરના રોજ એક સમારોહમાં કરવામાં આવશે. એમના એક સ્ટેન્ડનું નામ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના નામ ઉપર પણ રાખવામાં આવશે. જે અંગેની અગાઉ જાહેરાત થઈ ચૂકી હતી.
ડીડીસીએના અધ્યક્ષ રજત શર્માએ કહ્યું હતું કે, 'અરુણ જેટલીના સહયોગ થકી વિરાટ કોહલી, વિરેન્દ્ર સહવાગ, ગૌતમ ગંભીર, આશિષ નેહરા, ઋષભ પંત અને અન્ય કેટલાય ખેલાડીઓએ ભારતને ગૌરવાન્વિત કર્યું છે.
