દિલ્હીમાં 19 એપ્રિલથી આવતા 6 દિવસ સુધી લોકડાઉન: કેજરીવાલ
Live TV
-
કોરોનાનાં વધતા જતા પ્રકોપ વચ્ચે દિલ્હીનાં મુખ્યમંત્રી કેજરીવાલે આજે પ્રેસ કોન્ફેરેન્સનાં માધ્યમથી દિલ્હીમાં લોકડાઉન અંગેની માહિતી આપતા જણાવ્યું કે, દિલ્લીમાં આજે રાત્રે 10 વાગ્યાથી 6 દિવસનું લોકડાઉન રહેશે. તેમને વધુમાં જણાવ્યું કે લગ્નમાં 50 લોકોને જ મંજૂરી મળશે અને લોકોને પાસનાં આધારે મંજૂરી આપવામાં આવશે. કેજરીવાલે દિલ્હીનાં લોકોને સહકાર આપવા અને દિલ્હી ના છોડવા જનતાને અપીલ કરી છે.
વધુમાં તેમણે જણાવ્યું છે કે, દિલ્હીમાં કોરોનાનાં ટેસ્ટિંગ વધારવામાં આવતા કેસમાં વધારો થયો છે અને દિલ્લીમાં ઓક્સિજન અને વેન્ટિલેટરની ઘટ પણ છે, દવાઓ અને રેમડીસીવીર ઇન્જેક્શનની પણ ઘટ છે. તો કેન્દ્ર સરકાર પાસે પણ મદદની માગણી કરવામાં આવી છે. જેમના દ્વારા પણ પુરતો સહયોગ આપવામાં આવી રહ્યો છે.
