દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકોને એકતાના શપથ લેવડાવ્યા
Live TV
-
મેજર ધ્યાનચંદ સ્ટેડિયમથી રન ફોર યુનિટીનું પ્રસ્થાન પણ કરાવ્યું
સરદાર પટેલની 144મી જન્મજયંતીને લઈને દેશભરમાં એકતા દિવસની ઉજવણી કરવામાં આવી છે.. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં લોકોને એકતાના શપથ લેવડાવ્યા હતાં અને ત્યાર બાદ ફ્લેગ ઓફ કરાવીને રન ફોર યુનિટીનો પ્રારંભ કરાવ્યો હતો.. જેમાં મોટી સંખ્યામાં દિલ્હીવાસીઓએ ભાગ લીધો હતો અને એકતાની દોડ લગાવી હતી.. આ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકોને સંબોધન કર્યું હતું જેમાં તેમણે આઝાદ ભારતમાં સરદારની નિર્ણાયક ભૂમિકાને યાદ કરી હતી.. સાથે જ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરદારની સૌથી ઉંચી પ્રતિમા બનાવીને સરદારને સન્માન કર્યા છે.. જ્યારે અગાઉની સરકારોએ સરદાર સાહેબને ક્યારેય યોગ્ય સન્માન ન આપ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો..
