દિલ્હી કોર્ટે 10 આરોપીઓને 12 દિવસ માટે NIAની કસ્ટડીમાં સોંપવાનો કર્યો હુક્મ
Live TV
-
નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી દ્વારા , ટેરર મોડ્યુ્અલ્સમાં ઝડપાયેલા દસ સંદિગ્ધોને , દિલ્હી કોર્ટમાં રજૂ કરાયા હતા.
નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી દ્વારા , ટેરર મોડ્યુ્અલ્સમાં ઝડપાયેલા દસ સંદિગ્ધોને , દિલ્હી કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટે દસેય આરોપીઓને , 12 દિવસ માટે , એનઆઈએની કસ્ટડીમાં સોંપવાનો હુકમ કર્યો છે. એનઆઇએએ દેશભરમાં 17 સ્થળોએ દરોડા પાડીને , આઇ.એસ.આઇ.એસ. સાથે સાંઠગાંઠ ધરાવતાં , સંદિગ્ધોની ધરપકડ કરી હતી. આમરોહાના એક મૌલવીની પણ , એનઆઇએએ ધરપકડ કરી હતી. એનઆઇએએ પાડેલા દરોડામાં ,, વિસ્ફોટકો, રોકેટ સહિતનો મુદ્દામાલ જપ્ત થયો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે , એનઆઇએની કામગીરીને બિરદાવી હતી. આ ઉપરાંત ગૃહરાજ્ય મંત્રી કિરણ રીજીજુએ પણ , એનઆઇએની કામગીરીની પ્રસંશા કરી હતી. તેમણે કહ્યું હતું , કે કોઇપણ ઘટનાને અઁજામ આપતા પહેલાં , એનઆઇએએ સંદિગ્ધોને ઝડપી લીધાં હતાં.
