મુંબઇના ચેમ્બુર વિસ્તારમાં લાગેલી આગમાં 5 લોકોના મોત
Live TV
-
આ આગ એક 16 માળની બિલ્ડિંગમાં લાગી હતી. ફાયરબ્રિગેડ ટીમે છ વ્યક્તિઓને બચાવ્યા હતા
મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં તિલકનગરમાં એક ઇમારતમાં લાગેલી આગમાં ચાર મહિલા સહિત પાંચ વ્યક્તિના મોત થયા છે. આ આગ એક 16 માળની બિલ્ડિંગમાં લાગી હતી. ફાયરબ્રિગેડ ટીમે છ વ્યક્તિઓને બચાવ્યા હતા અને તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. ઇજાગ્રસ્ત અન્ય બે વ્યક્તિની સારવાર ચાલી રહી છે. તેમની હાલત સ્થિર છે. ઘાયલોમાં એક ફાયર બ્રિગેડનો કર્મચારી છે. અધિકારીએ જણાવ્યું હતું કે, આગ ઉપર કાબુ મેળવ્યો છે. આગ લાગવાના કારણોની તપાસ થઈ રહી છે.
