દિલ્હી ખાતે આજથી 28મો વિશ્વ પુસ્તક મેળાનો પ્રારંભ
Live TV
-
નવી દિલ્હી સ્થિત પ્રગતિ મેદાનમાં આજથી 28મા વિશ્વ પુસ્તક મેળાનો આરંભ થયો છે, જેનું ઉદ્દઘાટન કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે કર્યું છે. વિશ્વ પુસ્તક મેળામાં આ વખતે મુખ્યત્વે મહાત્મા ગાંધીના લેખનને દર્શાવવામાં આવશે.
નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા આયોજિત આ મેળો આ 12મી જાન્યુઆરી સુધી ચાલશે. પુસ્તક મેળો રોજ 11 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી ખુલ્લો રહેશે. ભારતીય પ્રકાશકો સિવાય યુરોપ અને એશિયાના 23 દેશોના પુસ્તકોનો આ મેળામાં સમાવેશ કરવામાં આવ્યો છે.
