દિલ્હી ખાતે પ્રથમ વિશ્વ યુવા સંમેલન યોજાયું
Live TV
-
સંમેલનમાં સંબોધન કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગાંધીજીના સિદ્ધાંતોને યાદ કર્યાં હતા.
નવી દિલ્હી ખાતે પ્રથમ વિશ્વ યુવા સંમેલન યોજાયું હતું. જેમાં બોલતાં રાષ્ટપતિ રામનાથ કોવિંદે ગાંધીજીના સિધ્ધાંતોને યાદ કર્યા હતાં. તેમણે અહિંસા , વિશ્વ શાંતિના મહાત્મા ગાંધીના સિધ્ધાતોને આત્મસાત કરીને જીવનમાં આગળ વધવા યુવાનોને આહવાન કર્યુ હતું. તેમણે આતંકવાદની સમસ્યાને વૈશ્વિક સમસ્યા ગણાવીને તેને નાથવા સહિયારા પ્રયાસો કરવા કહ્યું હતું તેમજે તેમણે કહ્યું હતુંકે અહિંસાનો મંત્ર આજે પણ પ્રસ્તુત છે.
