દિલ્હી : ભાજપના સંસદીય દળની બેઠક, PMએ આપી હાજરી
Live TV
-
પ્રધાનમંત્રીએ કર્ણાટકમાં થયેલી જીત બદલ કર્ણાટકની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો
લોકસભા સત્ર શરુ થતા પહેલા દિલ્હીમાં ભાજપની સંસદીય દળની બેઠક મળી હતી..બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત સંસદીય દળના નેતાઓએ હાજરી આપ હીત..સંસદીય દળને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કર્ણાટકમાં થયેલી જીત બદલ કર્ણાટકની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. અને કહ્યુ હતુ કે કર્ણાટકમાં વિકાસની ગતિ વધુ ઝડપી બનશે..બેઠકમાં ઉપસ્થિત સાંસદોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યુ હતુ..પ્રધાનમંત્રીએ તમામ સાંસદોને કહ્યુ કર્યુ કે તમામ સદસ્યો પોતાના સંસદીય વિસ્તારમાં ખેડૂતો, ગરીબો, વેપારી વર્ગને મળીને ચર્ચા કરે..અને તેમના સૂચનો નાણામંત્રીને મોકલે..પ્રધાનમંત્રીએ કહ્યુ 25 ડિસેમ્બર પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાયીનો જન્મદિવસ છે જેને સુશાસન દિવસ તરીકે મનાવાશે..પ્રધાનમંત્રીએ સિટીજન શિપ બિલને ઐતિહાસિક ગણાવ્યુ હતુ..
