દુનિયાભરમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ લાવવા માટે ચલાવાઈ રહેલા વંદે ભારત મિશનનો આજે છઠ્ઠો દિવસ
Live TV
-
ગઈકાલે પાંચમા દિવસે અનેક દેશમાંથી ભારતીયોને લઈ પરત આવ્યા 5 વિમાન
વિદેશોમાં ફસાયેલા ભારતીયોને 'વંદે ભારત મિશન' અંતર્ગત સ્વદેશ પરત લાવવાનું અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે. આ મિશન હેઠળ વિવિધ દેશોમાંથી અનેક ભારતીયોને લઈને અસંખ્ય વિમાનો ભારત પહોંચી રહ્યાં છે.આજે વંદે ભારત મિશનનો છઠ્ઠો દિવસ છે. આ તબક્કામાં દુબઈમાં ફસાયેલા ભારતીયોને લઈને વધુ એક એર ઈન્ડિયાનું વિમાન કોચ્ચી પહોંચ્યું હતું.
આ ઉપરાંત ગઈકાલે સાંજે ઢાકાથી 160 જેટલાં ભારતીય પ્રવાસીઓને લઈને એક વિમાન મુંબઈ પહોંચ્યું હતું. તો આજે વહેલી સવારે મનીલાથી 139 વિદ્યાર્થીઓ અને અમેરિકાથી પણ એક પ્લેન અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યું હતું. સ્વદેશ આવેલા આ તમામ ભારતીયોને ફરજીયાત 14 દિવસ ક્વોરોન્ટાઈનમાં રહેવું પડશે અને સરકારની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવું પડશે.
