દેશના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરૂની આજે પુણ્યતિથિ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંડિત નેહરૂને પુણ્યતિથિએ શ્રદ્ધાંજલી અર્પી હતી અને રાષ્ટ્ર માટે તેમણે આપેલા યોગદાનને યાદ કર્યું હતું. તો યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધીએ આજે શાંતીવન જઈને નેહરુને શ્રદ્ધાજલી આપી હતી.
દેશના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરૂની આજે પુણ્યતિથિ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંડિત નેહરૂને પુણ્યતિથિએ શ્રદ્ધાંજલી અર્પી હતી અને રાષ્ટ્ર માટે તેમણે આપેલા યોગદાનને યાદ કર્યું હતું. તો યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધીએ આજે શાંતીવન જઈને નેહરુને શ્રદ્ધાજલી આપી હતી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ નેહરૂને શ્રદ્ધાંજલી અર્પીત કરી હતી. આ ઉપરાંત પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી અને પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહનસિંહ પણ શાંતિવન પહોંચ્યા હતા. તેમણે દિવંગત નેતાને નમન કર્યું હતું. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામીદ અંસારી સહિત અનેક નેતાઓએ શ્રદ્ધાંજલી અર્પીત કરી હતી.
