દેશભરના ઉચ્ચ નાણાકીય વ્યવહાર વાળા 65 ટોલ પ્લાઝા પર ફાસ્ટ ટેગની અનિવાર્યતા પર 30 દિવસની છૂટ
Live TV
-
ઉચ્ચ નાણાકીય લેણ-દેણ કરતા 65 ટોલ પ્લાઝા માટે ફાસ્ટટેગના માપદંડમાં છૂટ આપવામાં આવી છે, હવે 30 દિવસો માટે ટોલ પ્લાઝાના ફાસ્ટટેગ લેનના 25 ટકા સુધી હાઈબ્રિડ લેનમાં પરિવર્તિત કરવામાં આવશે..લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને સરકારે NHAIની ભલામણ પર આ નિર્ણય કર્યો છે..
સરકારે NHAIના તમામ પ્લાઝા પર છેલ્લા મહિનાની 15 તારીખથી ફાસ્ટટેગ આધારિત ઈલેક્ટ્રોનિક ટોલની શરૂઆત કરી છે..સરકારે ટોલ પ્લાઝાના ઓછામાં ઓછા 75 ટકા લેનમાં ફાસ્ટટેગને જરૂરી કરી દીધું છે અને વધુમાં વધુ 25 ટકા લેન માટે જ રોકડા લઈ શકે છે...
આ 65 પ્લાઝા સમગ્ર દેશમાં ઉત્તરપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, પંજાબ, ચંડીગઢ અને આંધ્રપ્રદેશમાં સ્થિત છે..
