દેશમાં આજે 73માં સૈનિક દિવસની ઉજવણી થઇ.
Live TV
-
દર વર્ષે 15 જાન્યુઆરીના રોજ દેશમાં સેના દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 1949માં આજના દિવસે લેફટન્ટન જનરલ કે.એમ.કરીઅપ્પા ભારતીય ભૂમિ દળના પ્રથમ ભારતીય કમાન્ડીગ ઇન ચીફ બન્યા હતા. સેના દિવસના અવસરે સમગ્ર દેશ ભૂમિ દળની વીરતા,અદમ્ય સાહસ, અને શોર્યની કુરબાનીને બિરદાવે છે. આ અવસરે વિવિધ જગ્યાએ કાર્યક્રમો આયોજીત કરવામાં આવ્યાં છે. ત્રણેય સેનાના પ્રમુખ આજે નેશનલ વોર મેમોરીયલ ખાતે દેશના વીર જવાનોને શ્રધ્ધાંજલી આપી હતી. તેમજ દેશના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રી અમિત શાહ એ ટ્વિટ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી
