દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 44 હજારને પાર, અત્યાર સુધી 2206 ના મોત
Live TV
-
દેશમાં કોરોના વાયરસના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે. સમગ્ર દેશમાં કોરોનાના એક્ટિવ દર્દીનો આંકડો 44 હજારને પાર પહોંચી ગયો છે. જ્યારે 2 હજારથી વધુ લોકોના કોરોનાથી મોત થયા છે.
કેન્દ્ર સરકારના આંકડાઓ પર નજર કરીએ તો દેશમાં હાલ કોરોનાના 44029 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જ્યારે 20916 દર્દીઓ કોરોનાને માત આપીને હોસ્પિટલમાંથી સાજા થઇ ઘરે પરત ફર્યા છે. તો આ તરફ મૃત્યુઆંક પર સતત વધી રહ્યો છે. કોરોના વાયરસથી દેશમાં અત્યાર સુધી 2206 લોકોના કોરોના વાઈરસથી મોત થયા છે.
