પૂર્વ પીએમ મનમોહનસિંહની તબિયત લથડતા AIIMSમાં દાખલ
Live TV
-
છાતીમાં દુખાવાની ફરિયાદ પછી એઇમ્સના કાર્ડિયક ન્યૂરો સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા
પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની રવિવારે તબિયત ખરાબ થતા AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. મનમોહન સિંહે રવિવારે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. જે પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 87 વર્ષીય પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ 2004થી 2014 સુધી દેશના પ્રધાનમંત્રી રહ્યા છે. આ પહેલા તે 1991માં નરસિમ્હા રાવની સરકારમાં વિત્ત મંત્રી રહ્યા હતા. મનમોહન સિંહ ભારતીય રિઝર્વ બેંકના 15માં ગર્વનર પણ રહ્યા હતા. રાજીવ ગાંધીની સરકારમાં યોજના આયોગના ડિપ્ટી ચેરમેન પણ રહ્યા હતા. હાલમાં કોવિડ-19ના કારણે બનેલી સ્થિતિ માટે કોંગ્રેસે એક સલાહકાર સમૂહ બનાવ્યું છે. જેની અધ્યક્ષતા મનમોહન સિંહ કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા પૂર્વ પીએમ મનમોહન સિંહે એક વીડિયો જાહેર કરીને સરકારને કોરોના વાયરસની તપાસને વધારવાની માંગણી કરી હતી
