દેશમાં કોરોનાનો રિકવરી રેટ 93.81 ટકા
Live TV
-
24 કલાકમાં 38 હજાર 772 કોરોના સંક્રમણના નવા કેસ સામે આવ્યા છે. કોરોના વેક્સિનને લઈ દેશમાં અલગ અલગ જગ્યાએ ત્રીજા તબક્કાનું પરીક્ષણ ચાલી રહ્યું છે. જ્યાં સુધી વેક્સિન ન આવે ત્યાં સુધી લોકોને કોરોનાની ગાઈડ લાઈનનું ચુસ્ત પાલન કરવા માટે અનુરોધ થયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કહ્યું કે સરકારે આગામી જુલાઈ-ઓગસ્ટમાં દેશમાં 20થી 25 કરોડ લોકોને વેક્સિન આપવાની યોજના બનાવી છે. તો તમિલનાડુમાં વધી રહેલાં કોરોનાના સંક્રમણને જોતાં 31 ડિસેમ્બર સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું.
