દેશમાં કોરોના રસીકરણ કાર્યક્રમનો ડ્રાય-રન આવતીકાલે યોજાશે
Live TV
-
દેશમાં કોરોના રસીકરણ કાર્યક્રમનો ડ્રાય-રન આવતીકાલે યોજાશે. રાજ્યમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 94.23 ટકા થયો છે.
આખા દેશમાં કોરોના રસીકરણ કાર્યક્રમનોડ્રાય-રન આવતીકાલે યોજાશે.કેન્દ્ર સરકારે તમામરાજ્ય સરકારો અનેકેન્દ્રશાસિત પ્રદેશોને રસીકરણ માટેની તૈયારીઓ સુનિશ્ચિત કરવાકહ્યું છે.કેન્દ્રિય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે આ તૈયારીઓમાટે રાજ્યોના મુખ્ય સચિવોતથા આરોગ્ય અને અન્ય સંબંધિત લોકો સાથે એક ઉચ્ચ સ્તરીયબેઠક યોજી હતી.
તમામ રાજ્યોના પાટનગરમાં ઓછામાં ઓછા ત્રણસ્થળોપર રસીકરણનો ડ્રાય-રન યોજાશે. કેટલાક રાજ્યોના નક્કી કરાયેલા જીલ્લાઓમાં પણઆડ્રાય-રન યોજાશે.મહારાષ્ટ્ર અને કેરાલામાં પાટનગરો ઉપરાંત તમામમોટા શહેરોમાં આડ્રાય-રન કરાશે. આ ડ્રાય-રન યોજવાનો હેતુ વાસ્તવિક રસીકરણકાર્યક્રમ દરમિયાન આવનારાપડકારો અને અડચણોની ઓળખ કરી તેને કરવાનો છે.અગાઉ, 28-29 ડિસેમ્બરે ગુજરાત સહિત ચારરાજ્યોમાં કોરોના રસીકરણનો ડ્રાય-રન યોજીરસીકરણ વ્યવસ્થાપનની તૈયારીઓ ચકાસવામાંઆવી હતી.
