દેશમાં કોરોના વાયરસનો કહેર યથાવત, કુલ 819 કેસ પોઝિટિવ
Live TV
-
દેશમાં કોરોના વાયરસને કારણે ઉત્પન્ન થયેલી સ્થિતિ હવે ગંભીર બની રહી છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 918 કેસ સામે આવ્યા છે. જેમાં સક્રિય કેસોની સંખ્યા 819 છે. તો સારવાર બાદ સાજા થયેલા 79 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ગઈકાલે તમિલનાડુમાં એક જ દિવસમાં નવ પોઝીટીવ કેસ સામે આવ્યા છે. તો આ સાથે જ તમિલનાડુમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 38 થઈ છે. ચેન્નઈમાં ત્રણ લોકોમાં કોરોના વાયરસના સંક્રમણના લક્ષણ જોવા મળ્યા છે. ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડુએ પોતાનું એક મહિનાનું વેતન રાષ્ટ્રીય રાહત કોષમાં આપવાનો નિર્ણય કર્યો છે.
