દેશમાં કોવિડના દર્દીઓનો સાજા થવાનો દર 95.53 ટકા
Live TV
-
દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં 30 હજાર 199 દર્દીઓ સાજા થતાં કોરાનાને માત આપનાર દર્દીઓની સંખ્યા 96 લાખ 35 હજાર 614 થઈ છે
હાલમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 2 લાખ 90 હજાર 977 છે. આજ સમયગાળા દરમિયાન કોવિડના નવા 19 હજાર 141 કેસો નોંધાતા કોવિડના કુલ કેસોની સંખ્યા 01 કરોડ 75 હજાર 422 હજાર થઈ છે. છેલ્લા ર૪ કલાકમાં 300 લોકોના મોત થયા છે. કોવિડના લીધે મૃત્યુ પામનાર દર્દીઓની સંખ્યા વધીને 1 લાખ 46 હજાર 145 થઈ છે.
દરમ્યાન ગુજરાતમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 93.28 ટકા થયો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના એક હજાર 268 દર્દીઓ સાજા થતા કોવિડને માત આપનારની સંખ્યા વધીને બે લાખ 20 હજાર 393 થઇ છે. આજ સમયગાળામાં કોવિડના નવા 960 દર્દીઓ નોંધાતા, કોવિડના કુલ કેસોની સંખ્યા બે લાખ 36હજાર 259 થઇ છે.
