દેશમાં કોવિડ-19થી સાજા થવાનો દર 58.67 ટકા થયો
Live TV
-
દેશમાં કોવિડ-19 થી સાજા થવા નો દર 58.67 ટકા થયો છે. છેલ્લાં 24 કલાક માં 11 હજાર 628 લોકો સંક્રમણ મુક્ત થઈ ને સ્વસ્થ થયાં છે. આમ દેશમાં કુલ 3 લાખ 21 હજાર 722 લોકો કોરોના ને માત આવીને સ્વસ્થ થયાં છે. હાલ, 2 લાખ 10 હજાર 120 સક્રીય સંક્રમિત કેસ છે. દેશમાં અત્યાર સુધીમાં સંક્રમણના કુલ 5 લાખથી વધુ કેસ નોંધાઈ ચુક્યાં છે.
છેલ્લાં 24 કલાક માં ,દેશ માં, 380 લોકોનાં મોત થતાં દેશમાં કોરોના મહામારી ના કારણે જીવ ગુમાવનારાઓ ની સંખ્યા 16 હજાર 475 પર પહોંચી છે. દેશ ના ,વિવિધ રાજ્યોએ કોરોના સંક્રમણ સામે વધુ તાકાત થી લડવા માટે પણ , કવાયત હાથ ધરી છે. જેના પગલે, આસામ સરકારે ફરી એકવાર લોક ડાઉનનો રસ્તો અપનાવ્યો છે. રવિવારે સાંજે સાત વાગ્યાથી ગૌવાટીમાં 14 દિવસ માટે સંપૂર્ણ લોક ડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે.
