દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2,95,041 કેસ, જ્યારે 2023 લોકોના મૃત્યુ
Live TV
-
દેશમાં સરેરાશ પ્રતિદિન 13,69,676 લોકોનું રસીકરણ નોંધાયું છે
દેશમાં છેલ્લા 24 કલાકમા 22,95,041 કોરોનાના નવા કેસ નોધાયા છે. આ સાથે 1, 67,457 લોકો સ્વસ્થ્ય થયા છે. જ્યારે 2023 લોકોના મૃત્યુ થયા છે. તો અત્યાર સુધી દેશમાં 13 કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી ચુકી છે. જેમાં ફ્ક્ત 95 દિવસમાં આ ઉપલબ્ધી પ્રાપ્ત કરનાર ભારત વિશ્વમાં પ્રથમ દેશ બની ગયો છે.
દેશમાં સરેરાશ પ્રતિદિન 13,69,676 લોકોનું રસીકરણ નોંધાયું છે તો મંગળવાર રાતે 9 વાગ્યા સુધી 28 લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ લાભાર્થીઓમાં 92 લાખથી વધુ લોકોને પ્રથમ ડોઝ તથા 58 લાખથી વધુ લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. તો કોરોનાની વચ્ચે ઉત્તરપ્રદેશમાં વિકેન્ડ લોકડાઉન લગાવવામાં આવ્યું છે તો કોરોનાના કેસ વધતા પુડ્ડુચેરીમાં પણ લોકડાઉન લગાવવામાં આવ્યું છે તો કર્ણાટક રાજ્યમાં રાત્રી કર્ફ્યુ લગાવવામાં આવ્યું છે. તો ઝારખંડ રાજ્યએ સ્વાસ્થ્ય સપ્તાહ ઉજવવાનું નક્કી કર્યુ છે.
