દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 62,714 કેસ નોંધાયા
Live TV
-
દેશમાં કોરોનાના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે.. આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર , છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 62 હજાર 714 કેસ નોંધાયા છે.. જ્યારે 28 હજાર 739 દર્દીઓ સાજા થયા છે અને 312 દર્દીઓના મૃત્યુ થયા છે.... દેશમાં હાલ કોરોનાનો રિકવરી રેટ 94.59 ટકા છે.. જ્યારે દેશમાં 4.06 ટકા સક્રિય કેસ છે.. બીજી તરફ 12 રાજ્યોમાં કોરોનાના કેસ સૌથી વધુ જોવા મળી રહ્યા છે, જેમાં મહારાષ્ટ્ર, પંજાબ, કેરળ, કર્ણાટક, છત્તીસગઢ , અને ગુજરાતનો સમાવેશ થાય છે.. મહારાષ્ટ્રમાં સતત કેસ વધતા હોવાથી, મહારાષ્ટ્ર સરકાર દ્વારા આજથી રાત્રિ કર્ફ્યુની જાહેરાત પણ કરી છે.. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 35 હજાર 726 કેસ છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે.. છત્તીસગઢમાં છેલ્લા 24 કલાકમાં 3 હજાર 162 કેસ નોંધાયા છે.. કર્ણાટકમાં 2 હજાર 886 કેસ નોંધાયા છે.. પંજાબમાં છેલ્લા 24 કલાકમાં વધુ 2 હજાર 805, અને કેરળમાં પણ છેલ્લા 24 કલાકમાં 2 હજાર 55 કેસ નોંધાયા છે..
