દેશમાં ભાજપ દ્વારા વિજય સંકલ્પ યાત્રાની શરૂઆત
Live TV
-
આગામી લોકસભાની ચૂંટણીમાં જંગી બહુમતીથી વિજય પ્રાપ્ત કરી શકાય તે હેતુથી સમગ્ર દેશમાં ભાજપા દ્વારા આજથી ત્રણ દિવસની વિજય સંકલ્પ યાત્રા શરૂ કરવામાં આવશે. આ સંકલ્પ યાત્રા દ્વારા સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણીનો શંખનાદ કરશે. ભાજપા અધ્યક્ષ અમિત શાહ સહિત પક્ષના અનેક વરિષ્ઠ મંત્રીઓ વિવિધ વિસ્તારોમાં વિજય સંકલ્પ રેલીને સંબોધન કરશે. ભાજપા અધ્યક્ષ અમિત શાહ તથા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આગ્રામાં વિજય સંકલ્પ રેલીને સંબોધન કરશે. વરિષ્ઠ ભાજપા નેતા રાજનાથસિંહ લખનૌમાં સંબોધન કરશે. વિજય સંકલ્પ સભામાં પાંચ વર્ષ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના નેતૃત્વવાળી સરકારના લેખાજોખાં પ્રજા સમક્ષ રજૂ કરશે.
