Skip to main content
Settings Settings for Dark

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 75,829 કેસ, 82,260 દર્દી સાજા થયા

Live TV

X
  • સરકાર દ્વારા લેવાઇ રહેલા સઘન પગલાંને કારણે દેશમાં કોરોનાને માત આપીને સ્વસ્થ થતાં દર્દીઓના દરમાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે આપેલી માહિતી મુજબ દેશમાં કોરોનાથી સ્વસ્થ થવાનો દર 84.13% થઈ ગયો છે. અત્યાર સુધીમાં 55,09,966 દર્દી કોરોનાને માત આપીને સ્વસ્થ થઈ ચુક્યાં છે. છેલ્લાં 24 કલાકમાં 82,260 લોકો કોરોનાને માત આપીને સાજા થયાં છે. હાલ દેશમાં 9,37,625 સક્રિય કેસ છે.

    દેશમાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 1,01,782 લોકોનાં મૃત્યુ નોંધાઇ ચુક્યા છે. વીતેલા 24 કલાકમાં કુલ 940 મૃત્યુ નોંધાયા હતા. જો કે કોરોનાથી થતાં મૃત્યુનો દર ઘટીને 1.55% થયો છે.

    દેશમાં સેમ્પલ ટેસ્ટિંગનું પ્રમાણ સતત વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 11,42,131 સેમ્પલનું ટેસ્ટિંગ થયું છે. દેશભરમાં અત્યાર સુધીમાં કુલ 7,89,92,534 ટેસ્ટ સેમ્પલ ટેસ્ટ થઇ ચુક્યા છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સૌથી વધુ કેસ નોંધાયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2025 Max Temp : °C Min Temp : °C
apply