દેશમાં 24 કલાકમાં કોરોનાના 8,954 નવા કેસ નોંધાયા
Live TV
-
દેશમાં 24 કલાકમાં કોરોનાના 8,954 નવા કેસ નોંધાયા અને દેશભરમાં 24 કલાકમાં 267 દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. 24 કલાકમાં દેશભરમાં 10,207 દર્દી કોરોનાથી સાજા થયા છે. અત્યાર સુધી કુલ 3,40,28,506 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. હાલ દેશભરમાં 99,023 સક્રિય કેસ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 80,78,716 રસીના ડોઝ આપવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં કુલ 1,24,10,86,850 થી વધુ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. ભારતમાં કોરોનાથી રિકવર થવાનો દર વધીને 98.36% ઉપર પહોંચ્યો છે,જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે.