દેશમાં 24 કલાકમાં નવા 6,990 કેસ નોંધાયા, 190 લોકોના મૃત્યુ થયા
Live TV
-
આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં ગત 24 કલાકમાં નવા 6,990 કેસ નોંધાયા છે. જ્યારે 10,116 દર્દી સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 190 લોકોના મૃત્યુ થયા છે. દેશમાં હાલમાં 1,00,543 સક્રિય કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,40,18,299 લોકો સ્વસ્થ થયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 10,12,523 ટેસ્ટ કરાયા છે આ સાથે અત્યાર સુધીમાં કોરોનાના કુલ 64.13 કરોડ ટેસ્ટ કરાયા છે.
છેલ્લા 24 કલાકમાં કોરોના રસીના કુલ 78,80,545 ડોઝ અપાયા છે. દેશમાં કોરોના રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 123.25 કરોડથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યુ છે.