દેશવાસીઓને રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને જન્માષ્ટમીની આપી શુભેચ્છા
Live TV
-
દેશભરમાં જન્માષ્ટમીના પર્વની ધુમ મચી છે. ભગવાનના જન્મ સ્થળ સિવાય મથુરા, વૃંદાવનમાં ભગવાન કૃષ્ણની પુજા અર્ચના માટે શ્રધ્ધાળુઓની ભીડ ઉમટી છે
દેશભરમાં જન્માષ્ટમીના પર્વની ધુમ મચી છે. ભગવાનના જન્મ સ્થળ સિવાય મથુરા, વૃંદાવનમાં ભગવાન કૃષ્ણની પુજા અર્ચના માટે શ્રધ્ધાળુઓની ભીડ ઉમટી છે. ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ ઉપર મંદિરો અને પંડાલોમાં અદભૂત સજાવટ કરવામાં આવી છે. વિવિધ સ્થળે દહીં હાંડીનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. જન્માષ્ટમી પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દેશવાસીઓને શ્રીકૃષ્ણ જન્મોત્સવની શુભેચ્છા પાઠવી છે. ભગવાન વિષ્ણુના આઠમા અવતાર કહેવાતા ભગવાન કૃષ્ણના જન્મોત્સવ દરમિયાન વિવિધ મંદિરોમાં તેમની વિવિધ લીલાની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. ભક્તો ભાવવિભોર થઈ તેના દર્શન કરી રહ્યા છે.
