ધર્મશાળામાં વૈશ્વિક રોકાણકારોના બે દિવસીય સંમેલનમાં PM આપશે હાજરી
Live TV
-
રોકાણકારોને આકર્ષિત કરવાનો અને રોજગારીની તકો ઊભી કરવાનો ઉદ્દેશ્ય
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં વૈશ્વિક રોકાણકારોના બે દિવસીય સંમેલનનું ઉદ્ઘાટન કરશે. આ સંમેલનનો ઉદ્દેશ રાજ્યમાં રોકાણકારોને આકર્ષિત કરવાનો અને રોજગારીની તકો ઊભી કરવાનો છે. આ બે દિવસીય સંમેલનમાં 20 દેશના 200થી વધુ રોકાણકારોનું પ્રતિનિધિમંડળ રાજ્યમાં રોકાણની સંભાવના ચકાસશે. હિમાચલ પ્રદેશમાં પ્રથમવાર થઈ રહેલ આ ગ્લોબલ ઇન્વેસ્ટર મીટમાં આઠ મુખ્ય ક્ષેત્ર પર વિશેષ ધ્યાન અપાશે.. કારણ કે, અહીં પ્રવાસન, ફૂડ પ્રોસેસીંગ , આઈટી અને ફાર્માની સાથે સાથે આયુષ્ય રાજ્યનું સૌથી મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. રાજ્યને આ કાર્યક્રમથી સારું પરિણામ મળવાની આશા છે..
