નકાબધારીઓને પોલીસ જલ્દી જ ખુલ્લા પાડશે : પ્રકાશ જાવડેકર
Live TV
-
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં હિંસા માટે કોંગ્રેસને એચઆરડી પ્રધાન અને સરકારને જવાબદાર ઠેરવવાના આરોપને ભાજપે નકારી દીધો હતો, ભાજપના વરિષ્ઠ નેતા પ્રકાશ જાવડેકરે આક્ષેપોને ખોટો ગણાવ્યા હતા; પોલીસ તપાસમાં સત્યનો પર્દાફાશ થશે,
કેન્દ્રીયમંત્રી પ્રકાશ જાવડેકરે કોંગ્રેસના નેતાઓના આરોપોનું ખંડન કરતાં જણાવ્યું છે કે, જવાહરલાલ નેહરુ યુનિર્વસીટીમાં હિંસા માટે ગૃહમંત્રી અમિતશાહ અને એચઆરડી મંત્રી રમેશ પોખરીયાલ નિર્દોષ છે. તેમણે કહયું કે કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે એચઆરડી મંત્રી અને કેન્દ્ર સરકારે જેએનયું માં હિંસા ભડકાવી છે જે વાત ખોટી છે તેમણે કહયું કે આ બાબત ઉલ્ટા ચોર કોટવાલને દંડે તેવો ધાટ છે. કેન્દ્રીયમંત્રી એ કહયું કે પોલીસ તપાસ ચાલુ છે પોલીસ આ બેનકાબ લોકોને ખુલ્લા પાડશે. કોંગ્રેસ અને અન્ય દળ દ્વારા આ મુદો ઉછાળવામાં આવે છે તેનાથી એક જુઠ સાચુ નહી બને
