નવી દિલ્હીમાં સુશાસન દિવસ નિમિત્તે વિજ્ઞાન ભવનમાં યોજાયો કાર્યક્રમ
Live TV
-
આજે સુશાસન દિવસ નિમિત્તે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સુશાસન સપ્તાહની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, મૂળભૂત સમસ્યાઓના નિવારણ માટે દેશમાં અસરકારક નીતીઓનું નિર્માણ થયું છે. તેમણે ઉમેર્યું હતું કે, પારદર્શી વહિવટથી લાખોની સંખ્યામાં ફરિયાદોનો નિકાલ આવ્યો છે.
આ અવસરે તેમણે પૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્ન સ્વ. અટલ બિહારી વાજપેયી તથા બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના સ્થાપક પંડિત મદન મોહન માલવીયની જન્મજયંતી નિમિત્તે તેમને યાદ કર્યા હતા. તેમણે ઉમેર્યુ કે, અટલજીએ સંપૂર્ણ જીવન એક વિચારધારા માટે દેશને સમર્પિત કર્યુ હતુ.
