પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કચ્છમાં ગુરૂપુરબ સમારોહને કરશે સંબોધિત
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજ તારીખ 25 મી ડિસેમ્બર-2021 ના રોજ બપોરે 12:30 કલાકે ગુજરાત કચ્છમાં સ્થિત ગુરુદ્વારા લખપત સાહિબ ખાતે આયોજિત ગુરુ નાનક દેવજીના ગુરુપુરબ સમારોહને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધન કરશે.
દર વર્ષે 23 મી ડિસેમ્બરથી 25 મી ડિસેમ્બર દરમિયાન ગુજરાતની શીખ સંગત ગુરુદ્વારા લખપત સાહિબ ખાતે ગુરુ નાનક દેવજીના ગુરપુરબની ઉજવણી કરવામાં આવે છે. એવું કહેવાય છે કે, ગુરુ નાનક દેવજી તેમની યાત્રા દરમિયાન લખપતમાં રોકાયા હતા. ગુરુદ્વારા લખપત સાહિબમાં લાકડાના પગરખાં અને પાલખી (પારણું) તેમજ ગુરુમુખીની હસ્તપ્રતો અને નિશાની સ્ક્રિપ્ટો સહિત તેમના અવશેષો આજે પણ ત્યાં જ છે.
વર્ષ 2001 ના ભૂકંપ દરમિયાન ગુરુદ્વારાને નુકસાન થયું હતું. ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ નુકસાનીનું સમારકામ સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પ્રયાસો હાથ ધર્યા હતા. આ પગલાથી પ્રધાનમંત્રીની શ્રદ્ધા પ્રત્યે ઊંડો આદર દેખાય છે, જે ગુરુ નાનક દેવજીના 550 મા પ્રકાશ પુરબની ઉજવણી, ગુરુ ગોવિંદ સિંહજીના 350 મા પ્રકાશ પુરબ અને ગુરુના 400 મા તેગ બહાદુરજી પ્રકાશ પુરબ સહિત અનેક તાજેતરના પ્રયાસોમાં પણ પ્રતિબિંબિત થાય છે.