નાગરિકતા સંશોધન વિધેયક મામલે વિરોધ બાદ ઉત્તર પૂર્વમાં સ્થિતિ શાંતિપૂર્ણ
Live TV
-
આસામના મંત્રીએ કહ્યું, રાજ્યની સ્થિતિ પર ચર્ચા કરવા મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલના નેતૃત્વ હેઠળ એક પ્રતિનિધિમંડળ પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી સાથે કરશે મુલાકાત
આસામમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં ધીરે ધીરે સુધારો થઈ રહ્યો છે. વીતેલા 48 કલાક દરમિયાન કોઈ અનિચ્છનિય ઘટનાના અહેવાલ નથી. દિબ્રુગઢ અને ગુવાહાટી તાલુકા પ્રદેશમાં શનિવારે સવારે સંચારબંધીમાં છૂટછાટ આપવામાં આવી હતી. દિબ્રુગઢને બાદ કરતાં પૂર્વોત્તરમાં વિમાન સેવા સામાન્યપણે ચાલી રહી હતી. પૂર્વોત્તર રેલવે એ ફસાઈ ગયેલા રેલવે પ્રવાસીઓ માટે શનિવારે , દિબ્રુગઢ અને દિમાપુર વચ્ચે વિશેષ ટ્રેન દોડાવી હતી. આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે મંત્રીમંડળના સાથીદારો, સાંસદ, વિધાનસભ્યો સાથે ,સ્થિતિની ચર્ચા માટે બેઠકમાં ભાગ લીધો હતો. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે મુખ્યમંત્રીના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે રાજ્યની સ્થિતિ વિશે ચર્ચા કરશે
