પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાનપુર બેરેજ સ્થિત અટલઘાટની લીધી મુલાકાત
Live TV
-
ગંગાનદીની સફાઇ સાથે સંકળાયેલા મુદ્દાઓની કરી સમીક્ષા
ઉત્તરપ્રદેશના કાનપુરમાં આજે રાષ્ટ્રીય ગંગા પરિષદની મહત્વની બેઠક માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાનપુર પહોચી ગયા છે. હવાઇ મથકે સીએમ આદિત્યનાથે તેમનુ સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ચંદ્રશેખર આઝાદ કૃષિ અને પ્રોદ્યોગીકી યુનિવર્સિટી પહોચ્યા હતા, ત્યાં તેમણે આઝાદની પ્રતિમાને પુષ્પાજંલી અર્પણ કરી હતી. પ્રધાનમંત્રી, આ બેઠકમાં, પરિષદના અધ્યક્ષ તરીકે ગંગા સંબંધીત કામો માટે પાંચ રાજ્યોના મુખ્યમંત્રીના પ્રતિનિધિઓ સાથે રાષ્ટ્રીય ગંગા પ્રોજેકટની સમિક્ષા કરી રહયા છે. પ્રધાનમંત્રીએ, ચંદ્રશેખર આઝાદ યુનિવર્સિટીમાં એક પ્રદર્શનનું અવલોકન કર્યુ હતું જેમાં , નમામી ગંગે પ્રોજેક્ટ દર્શાવવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીએ , કાનપુર બેરેજ સ્થિત અટલઘાટની મુલાકાત લિધી હતી.
