નાગા સમજૂતીના ખુલાસા અંગેની અફવા ખોટી હોવાની મંત્રાલયે કરી સ્પષ્ટતા
Live TV
-
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સોશિયલ મીડિયા પર નાગા સમજૂતી અંગે ટૂંકમાં જાહેરાત થશે તે મુજબ ચાલી રહેલી અફવાનું ખંડન કર્યું છે.
સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવી રહેલી આ અફવા ખોટી હોવાની મંત્રાલયે સ્પષ્ટતા કરી છે.
આ અફવા અંગે ચિંતા જાહેર કરતાં મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે નાગા સમુહો સાથે કોઇ સમજૂતી સાધતાં પહેલાં આસામ, મણિપુર અને અરૃણાચલ પ્રદેશ સહિત તમામ પક્ષો સાથે વિધિવત પરામર્શ કરવામાં આવશે અને તેમની ચિંતાઓ પણ ધ્યાને લેવામાં આવશે. મંત્રાલયે આવી ખોટી અફવાઓ તરફ ધ્યાન ના આપવા જણાવ્યું હતું.
