પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થાઇલેન્ડના 3 દિવસના પ્રવાસે, આશિયાન સંમેલનમાં લેશે ભાગ
Live TV
-
પ્રધાનમંત્રી મોદી મોડી સાંજે ભારતીય સમુદાયને સંબોધન કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી આજે થાઇલેન્ડના 3 દિવસના પ્રવાસે જવા રવાના થશે. પ્રધાનમંત્રી મોદી મોડી સાંજે ભારતીય સમુદાયને સંબોધન કરશે. પોતાના પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી આસિયાન ભારત શિખર સંમેલન , પૂર્વીય એશિયા શિખર સંમેલન અને ત્રીજા ક્ષેત્રિય સમગ્ર આર્થિક ભાગીદારી સંમેલન માં ભાગ લેશે.આજે બેંગકોક ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવવાની તૈયારી કરી ચુકર્યું છે.
35 મુ એશિયન શિખર સંમેલન અહીં યોજાઇ રહ્યું છે. જેની અસર દાયકા સુધી સમગ્ર દુનિયા ઉપર પડશે. આ સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી ઉપરાંત 10 એશિયન દેશની સાથે ચિન - દક્ષિણ કોરિયા ,જાપાન , સંયુક્ત રાજ્ય અમેરિકા , ઓસ્ટ્રેલિયા , ન્યુઝિલેન્ડ , ભાગ લઇ રહ્યા છે. 3 નવેમ્બરે પ્રધાનમંત્રી ભારત - એશિયાના સંમેલનમાં ભાગ લેશે
