નિઝામુદ્દીન વિસ્તારમાં આયોજીત તબ્દીલે જમાતના મામલામાં ગૃહ મંત્રાલયનું કડક વલણ
Live TV
-
દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં આયોજીત એક તબ્દીલે જમાતના મામલામાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કડક વલણ અપનાવ્યું છે. નવી દિલ્હી સ્થિત તબલીગી મરકજમાં સામેલ થયેલા લોકોની ઓળખ કરવાનું અભિયાન તેજ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં દેશભરમાંથી આવેલા 2 હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો. જેમાંથી 100થી વધારે લોકો કોરોનાથી સંક્રમિત હોવાનું સામે આવ્યું છે અને 7 લોકોનાં મોત થયા છે. 2300 લોકોને અહીંથી બહાર કાઢીને ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે. દિલ્હી સરકારે આ કાર્યક્રમના આયોજક વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરી છે. કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ આ કાર્યક્રમને બિનજવાબદાર પગલું ગણાવ્યું હતું.


