નિયંત્રણ તરફ કોરોના: રિકવરી રેટ વધીને 84.25%; પ્રચંડ વેગમાં રસીકરણ તો સક્રિય કેસમાં સતત ઘટાડો
Live TV
-
હાલની પરિસ્થતીએ દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 36,18,458, જેની સામે કુલ રસીકરણ કુલ 18 કરોડ 22 લાખથી પણ વધુ
કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિ સામેની લડાઈમાં દેશનું રસીકરણ અભિયાન મોરચે. દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાને એક મહત્વપૂર્ણ ઉપલબ્ધી હાંસલ કરી છે. હાલની પરિસ્થતીએ દેશમાં કુલ 18 કરોડ 22 લાખથી પણ વધુ લોકોને કોરોના વિરોધી રસી આપવામાં આવી છે. જયારે રસીકરણ અભિયાનમાં છેલ્લા 24 કલાકમાં જ 17 લાખ 33 હજારથી પણ વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
હાલની પરિસ્થતીએ દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 36,18,458 જેટલી છે, જેની સામે કોરોનાને મ્હાત આપી અત્યાર સુધીમાં કુલ 2,07,95,335 દર્દીઓ સ્વસ્થ થઇ ઘરે પરત ફર્યા છે. દેશમાં કોરોનાથી મૃત્યુ થયાનો કુલ આંક 2,70,284 એ પહોંચ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકના સમયમાં 3,62,437 લોકો કોરોનાને હરાવવામાં સફળ થયા છે, જયારે 4077 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે.
