નિર્ભયા કેસઃ સુપ્રિમ કોર્ટે ત્રણેય આરોપીઓની ફાંસીની સજા યથાવત રાખી
Live TV
-
નિર્ભયા દુષ્કર્મ મામલે સુપ્રિમ કોર્ટે આજે ત્રણ દોષીઓની ફાંસની સજા પરની પુનર્વિચારની અપીલ પર સુનાવણી કરતા નિર્ણય આપી દીધો છે.
સુપ્રિમ કોર્ટે ત્રણેય આરોપીઓની ફાંસીની સજા યથાવત રાખી છે. 4મેના રોજ નિર્ભયા ગેંગરેપ મામલે સુપ્રિમ કોર્ટે દોષીઓની પુનર્વિચાર અપીલ પર નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. સુપ્રિમ કોર્ટમાં ચીફ જસ્ટિસ દિપક મિશ્રા, જસ્ટીસ આર.ભાનુમતી અને જસ્ટીસ અશોક ભૂષણની ખંડપીઠે દોષીઓ વિનય, પવન અને મુકેશની પુનઃ વિચાર અરજીનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.
આરોપી અક્ષયે હજુ સુધી પુનર્વિચાર અપીલ દાખલ કરી નથી. સુનાવણીમાં દોષીઓ તરફથી કહેવામાં આવ્યું હતું કે, આ કેસ ફાંસીની સજાનો નથી અને તેઓ ગંભીર અપરાધી નથી. એટલે સુધરવાની તક આપવામાં આવે.
