નિર્ભયા કેસ: દોષી વિનય શર્માની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
Live TV
-
દોષી વિનય શર્માએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા દયા અરજી ફગાવવાના નિર્ણય પર સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે
નિર્ભયા સામૂહિક દુષ્કર્મ અને હત્યા કેસમાં દોષી વિનય શર્માની અરજી પર આજે સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે..વિનય શર્માએ રાષ્ટ્રપતિ દ્વારા દયા અરજી ફગાવવાના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે..તો દોષિતોને એક સાથે ફાંસી આપવાના હાઈકોર્ટના આદેશને લઈને પણ સુપ્રીમ કોર્ટ કેન્દ્ર સરકારની આજે સુનાવણી કરશે..
તો બીજી બાજુ ચારેય દોષીઓ વિરુદ્ધ નવું ડેથ વોરંટ જારી કરવા માટે પીડિતાના માતા-પિતા અને દિલ્લી સરકારે પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી કરી..કોર્ટમાં આ અરજી પર બુધવારે સુનાવણી ટળી હતી..હવે વધુ સુનાવણી આજે થશે
