નિર્ભયા કેસ : સુપ્રીમ કોર્ટે દોષિત અક્ષયની પુન:વિચારણા અરજી ફગાવી
Live TV
-
2012માં નિર્ભયા દુષ્કર્મ કેસમાં સુપ્રીમ કોર્ટે મુકેશ, પવન, વિનય અને અક્ષયની ફાંસી યથાવત્ રાખી
નિર્ભયા કેસમાં દોષિત અક્ષયની પુનર્વિચાર અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી જ્યારે અન્ય ત્રણ આરોપીઓની પુનર્વિચાર અરજી પહેલા જ રદ કરી દેવામાં આવી હતી. અક્ષયના વકીલ એપી સિંહે સુનાવણી દરમિયાન કેસની તપાસ અને પીડિતાના નિવેદનો પર સવાલ ઉઠાવ્યા હતા. પરંતુ કોર્ટે કહ્યું કે દલીલોમાં કંઇક નવું નથી. દરમિયાન નિર્ભયાની માતા આશા દેવીએ આ નિર્ણય અંગે ખુશી વ્યક્ત કરી હતી. શુક્રવારે આ અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી જ ડેથ વોરંટ પર વિચાર કરી શકાય છે. હવે આ મામલાની સુનાવણી 7મી જાન્યુઆરીએ કરવામાં આવશે.
