સાહિત્ય અકાદમીએ વાર્ષિક અકાદમી પુરસ્કારોની જાહેરાત કરી
Live TV
-
સાહિત્ય અકાદમીએ ગઇકાલે , વર્ષ 2019 માટે , 23 ભાષાઓના વાર્ષિક અકાદમી પુરસ્કારોની જાહેરાત કરી હતી.જેમાં ગુજરાતી ભાષા માટે , રતિલાલ બોરીસાગરને , તેમના નિબંધ સંગ્રહ, " મોજમાં રહેવું રે " માટે , પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી હતી. તો હિન્દી ભાષા માટે નંદ કિશોર આચાર્યને , તેમના કવિતા સંગ્રહ "છીલતે હુએ અપને કો " , અને અંગ્રેજી ભાષા માટે ડો. શશી થરુરને , " એન એરા ઓફ ડાર્કનેસ " માટે એવોર્ડ એનાયત કરવામાં આવશે.આ ઉપરાંત તમિલ, સંસ્કૃત, ઉર્દુ, રાજસ્થાની, અને મૈથલી ભાષા માટે પણ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે.
