નેપાળના સિંધુપાલમાં ગમખ્વાર અકસ્માત, 14 લોકોના મોત 18 લોકો ઘાયલ
Live TV
-
પોલીસ કર્મીઓને અને બચાવ રાહત ટીમે હાથ ધર્યું રાહત કાર્ય
નેપાળના સિંધુપાલ જિલ્લામાં ગમખ્વાર અકસ્માતમાં 14 લોકોનાં મોત અને 18 લોકો ઘાયલ થયા છે. સવારના સવા આઠ વાગ્યાની આસપાસ સનકોશી વિસ્તારમાંથી બસ પસાર થઈ રહી હતી. ત્યાં બસ અચાનક પલટી ખાતા આ અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ કર્મીઓને અને બચાવ રાહત ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે. મૃતકોમાં 8 મહિલા, 3 પુરુષો અને 3 બાળકોનો સમાવેશ થાય છે. જ્યારે 10થી વધુ લોકોને નજીકના હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અન્ય લોકોને કાઠમુંડુ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યાં છે. આ બસ કાલીચોક મંદિર થી ભક્તપુર તરફ જતી હતી.
