સરદાર પટેલની 69મી પુણ્યતિથિ, PM મોદીએ ટ્વીટ કરી અર્પી શ્રદ્ધાંજલિ
Live TV
-
ભારત રત્નથી સરદાર પટેલનું કરાયું હતું સન્માન
કૃતજ્ઞ રાષ્ટ્ર, લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથી પ્રસંગે, તેમને નમન કરી રહ્યો છે. ભારત રત્નથી સન્માનિત સરદાર પટેલે , 15 ડિસેમ્બરના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સરદાર સાહેબની પુણ્યતિથી પ્રસંગે, તેમને અંજલિ આપી હતી. પ્રધાનમંત્રી મોદીએ એક ટ્વીટ સંદેશમાં જણાવ્યું કે, સરદાર પટેલે દેશ માટે કરેલી સેવામાંથી, આપણને હંમેશા પ્રેરણા મળતી રહેશે. તો કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે પણ સરદાર પટેલની પુણ્યતિથીએ તેમને ટ્વીટ કરીને શ્રધ્ધાંજલિ આપી છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણમંત્રી પ્રકાશ જાવડેકરે પણ દિવગંત સરદાર પટેલને શ્રધ્ધાંજલિ આપી હતી. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વીટર પર શ્રધ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે, સરદાર પટેલ સાચા અર્થમાં ભારત રત્ન હતા કે જેમણે આઝાદી અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી.
