નોએડા ખાતે પ્રધાનમંત્રીએ સિટી સેન્ટર-ઈલેક્ટ્રોનિક સિટી મેટ્રોનું કર્યું ઉદ્દઘાટન
Live TV
-
તેમણે પંડિત દિનદયાળ ઉપાધ્યાય પુરાતત્વ સંસ્થાનમાં તેમની પ્રતિમાથી સંબંધિત પટ્ટીકાનું અનાવરણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ નોએડામાં દિલ્હી મેટ્રોના નોએડા સિટી સેન્ટરથી નોએડા ઈલેક્ટ્રોનિક સિટી ખંડનું ઉદ્દઘાટન કર્યું હતું. આ નવા ખંડથી લોકોને આવવા જવામાં સરળતા રહેશે. તેના પગલે રસ્તા પર ટ્રાફિકની સમસ્યા પણ ઓથી થઈ જશે.
ગ્રેટર નોએડાના વિકાસને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી ઝડપ આપી કહ્યું કે, 'જૂના અને થાકેલા લોકો સાથે હવે દેશ ચાલી શકે નહીં. પ્રધાનમંત્રીએ પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઈન્સ્ટિટ્યૂટ ઑફ આર્કિયોલોજીની સાથે સાથે નોએડા સિટી સેન્ટરથી ઈલેક્ટ્રોનિક સિટી મેટ્રોનું ઉદ્દઘાટન કર્યું હતું.
પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, તેઓ નાના સપનાં જોતા નથી. તેમની સરકાર 21મી સદીમાં દેશની ઉર્જા જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અનેક ક્ષેત્રોમાં કામ કરી રહી છે.
