નોટબંધીને બે વર્ષની પુર્ણાહુતી પ્રસંગે નોટબંધીના નિર્ણયને ગણાવ્યો મહત્વપુર્ણ
Live TV
-
નોટબંધીનો હેતુ પૈસાની જપ્તી કરવાનો નહિ પંરતુ અર્થતંત્રને સુધારવા માટે ઉત્તમ ઉપાય હતો
નોટબંધીને બે વર્ષ પુર્ણ થતા નાણા મંત્રી અરૂણ જેટલીએ નોટબંધીના નિર્ણયને વધુ મોટો અને મહત્વપુર્ણ નિર્ણય ગણાવ્યો છે. તેમણે જણાવ્યુ કે નોટબંધીને લઈને ખુબ જ ખોટી અફવા ફેલાઈ છે.નોટબંધીનો હેતુ પૈસાની જપ્તી કરવાનો નહિ પંરતુ અર્થતંત્રને સુધારવા માટે ઉત્તમ ઉપાય હતો.વધુમાં તેમણે જણાવ્યુ કે જે જનરલ એકાઉન્ટસ અને સંપુર્ણ અર્થવ્વવસ્થાનું જે રીતે નોટબંધીથી સંગઠીત થઈ જેનાથી દેશની અર્થવ્યવસ્થાને ફાયદો થયો છે.વધુમાં તેમણે જણાવ્યુ કે વર્ષ 2018-19માં વ્યકિતગત આવક ગત વર્ષની તુલનામાં 20.2 ટકા વધી છે.તો બીજી તરફ કોર્પોરેટ કર સંગ્રહ 19.5 ટકા વધ્યો છે તો બીજી તરફ વિપક્ષે નોટબંધીને લઈને અનેક સવાલ ઉભા કર્યા છે.પુર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે નોટબંધીના નિર્ણયને દરેક વ્યકિતને નકારાત્મક અસર કરતો ગણાવ્યો છે.
