પંજાબમાં રાજ્ય સરકારમાંથી નવજોત સિંહ સિદ્ધુએ મંત્રીપદેથી આપ્યું રાજીનામુ
Live TV
-
નવજોત સિંહ સિદ્ધુએ ટ્વીટ કરીને રાજીનામાની જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, ટુંક સમયમાં જ કેપ્ટન અમરિંદસિંહને રાજીનામું સોંપશે. ગત મહિને મંત્રાલયમાં ફેરફાર થતાં મુખ્યમંત્રીથી નારાજગી હતી.
પંજાબમાં રાજ્ય સરકારમાંથી નવજોત સિંહ સિદ્ધુએ પોતાના મંત્રીપદેથી રાજીનામુ આપી દીધું છે. સિદ્ધુએ ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે. તેમણે જણાવ્યું હતું કે, મેં તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને 10 જૂને મારુ રાજીનામુ સોંપી દીધું. ટ્વીટર પર તેમણે તે પત્ર પણ પોસ્ટ કર્યો છે. નવજોત સિંહ સિદ્ધુ મંત્રાલયમાં ફેરફાર થતાં ઘણા નારાજ હતા. ગત છ જુને મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહે સિદ્ધુ પાસેથી વિભાગ પાછા લઈ લીધા હતા અને તેમને વિજળી વિભાગનો કાર્યભાર સોંપવામાં આવ્યો હતો. અમરિંદરસિંહે સિદ્ધુ પાસેથી પ્રભાર પાછો લેતા તેમને ખરાબ પ્રદર્શન માટે જવાબદાર ઠેરવ્યા હતા. અને ત્યાર બાદથી બંને વચ્ચે તણાવ જાહેર થઈ ગયો હતો. સિદ્ધુએ કહ્યું હતું કે, તેઓ ટુંક સમયમાં મુખ્યમંત્રીને પણ રાજીનામુ સોંપશે.
