Skip to main content
Settings Settings for Dark

પરિવહન વાહનો ચલાવવા લઘુત્તમ શૈક્ષણિક લાયકાત નાબૂદ કરવાનો નિર્ણય

Live TV

X
  • આ નિર્ણયથી મોટી સંખ્યામાં બેરોજગાર લોકો માટે રોજગારીની નવી તકો ખુલશે

    આર્થિક રીતે પછાત વંચિત વર્ગમાં, કૌશલ્ય ધરાવતા લોકોને લાભ મળે તેવા હેતુથી, માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા, પરિવહન વાહનો ચલાવવા માટે આવશ્યક લઘુત્તમ શૈક્ષણિક લાયકાત નાબૂદ કરવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયથી મોટી સંખ્યામાં બેરોજગાર લોકો માટે રોજગારીની નવી તકો ખુલશે અને ખાસ કરીને દેશમાં યુવાનોને તેનો મોટો લાભ મળશે. જો કે લઘુત્તમ શૈક્ષણિક લાયકાતની જરૂરિયાત દૂર કરતી વખતે મંત્રાલય દ્વારા, ડ્રાઈવરોની કડક તાલીમ અને કૌશલ્ય પરિક્ષણ પર ભાર મૂકાયો છે. મંત્રાલય દ્વારા શૈક્ષણિક લાયકાત દૂર કરવા માટે મોટર વાહન ખરડો, અગાઉની લોકસભામાં પહેલેથી જ પસાર કરી દેવાયો હતો. આ વિષય પર સંસદની સ્થાયી સમિતિ અને પસંદગી સમિતિ દ્વારા પણ ચર્ચા કરાઈ હતી. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે કેન્દ્રીય મોટર વાહન 1989 ના નિયમ 8 માં સુધારો કરવાની પ્રક્રિયા શરૂ કરી છે અને આ સંદર્ભમાં ટૂંક સમયમાં મુસદ્દો પ્રસિધ્ધ કરાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2025 Max Temp : °C Min Temp : °C
apply