પ્રધાનમંત્રી મોદીએ ઓમ બિરલાની નમ્રતા વિવેકની કરી પ્રશંસા
Live TV
-
ભાજપના સાંસદ ઓમ બીરલાની લોકસભાના નવા સ્પીકર તરીકે વરણી કરાઈ છે. લોકસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના નામનો પ્રસ્તાવ રજુ કર્યો હતો
ભાજપના સાંસદ ઓમ બીરલાની લોકસભાના નવા સ્પીકર તરીકે વરણી કરાઈ છે. લોકસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના નામનો પ્રસ્તાવ રજુ કર્યો હતો. જેને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સમર્થન આપ્યુ હતુ. ઓમ બીરલાના નામના પ્રસ્તાવને અમિત શાહ નિતીન ગડકરી અર્જુન મુંડા સદાનંદ ગૌડા અનુપ્રિયા પટેલ તેમજ લોકસભા ના અન્ય સભ્યોએ પણ તેમના નામના પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું. આ ઊપરાંત કોંગ્રેસ અને ટીએમસી એ પણ નિર્વિઘ્ન પોતાની સંમતિ આપી હતી. ઓમ બિરલા કોટાથી ભાજપના સાસંદ તરીકે સતત બીજી વાર ચૂંટાયા છે.આ પ્રસંગે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી એ ઓમ બિરલાને અભિનંદન આપ્યા હતા અને કહ્યુ કે તેમને વિશ્વાસ છે કે તેમને સોંપાયેલા કામને તેઓ જવાબદારી પૂર્ણ નિભાવશે. પ્રધાનમંત્રી મોદી એ જણાવ્યુ કે આજનો પ્રસંગ એ આ સદન માટે ગર્વની વાત છે. આ ઊપરાંત પ્રધાનમંત્રી મોદીએ ઓમ બિરલાની નમ્રતા વિવેકની પ્રશંસા કરી હતી. અને તેમને એક સેવાભાવી વ્યક્તિ ગણાવ્યા.