પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિભિન્ન રાજકીય દળોના વડાની સાથે આજે દિલ્હીમાં બેઠક યોજી
Live TV
-
બેઠકમાં ઘણા મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા. જેમાં મુખ્યત્વે "વન નેશન વન ઈલેકશન" નો મુદ્દો મહત્વનો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અનેક મહત્વના વિષયો પર ચર્ચા કરવામાં આવી. જેના પર તમામ દળો સાથે ચર્ચા કરી સલાહ લેવાના પ્રયાસ કરાયો હતો. બેઠકના એજન્ડામાં "વન નેશન વન ઈલેકશન" નો મુદ્દો મહત્વનો રહ્યો. ઉપરાંત રાષ્ટ્રપિતા મહાત્માગાંધીની 150મી જન્મ જયંતી ઉપરાંત સંસદના બંને સદનોમાં કામકાજના સ્તરમાં સુધારો લાવવા અને આઝાદીની 75મી વર્ષગાંઠે નવું ભારત બનાવવાની કાર્ય યોજના, જળ પ્રબંધન અને કેટલાક પસંદગી પામેલા જિલ્લાઓમાં વિકાસ કાર્યની સમિક્ષા કરાઈ. તમામ ક્ષેત્રિય દળોએ આ મુદ્દાઓ પર પોતાના સૂચનો રજૂ કર્યા હતા. સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે આ બેઠક વિશે માહિતી આપતા જણાવ્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીની વન નેશન વન ઈલેકશનની પહેલનો મોટાભાગના રાજનૈતિક દળોએ સ્વાગત કર્યું હતુ અને આ માટે એક સમિતિની રચના કરવાનો નિર્ણય કર્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિભિન્ન રાજકીય દળોના વડાની સાથે આજે દિલ્હીમાં બેઠક યોજી . આ બેઠકમાં ઘણા મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. જેમાં મુખ્યત્વે "વન નેશન વન ઈલેકશન" નો મુદ્દો મહત્વનો રહ્યો. બેઠકના મુદ્દાઓમાં વર્ષ 2022 માં ભારતની સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર પર યોજાવાના કાર્યક્રમો અને આ વર્ષે મહાત્મા ગાંધીની 150મી જયંતી માટે યોજાનારા કાર્યક્રમો પર પણ વિચાર વિમર્શ કરાયો. તદુપરાંત સંસદની ઉપયોગિતા વધારવા અને દેશની વધુ પ્રગતિ માટે ચર્ચાઓ કરવામાં આવી. આ બેઠકમાં તૃણમુલ કોંગ્રેસની મમતા બેનર્જી હાજર નહોતા રહ્યા . દેશના હિત માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિપક્ષના નેતાઓ સાથે ચર્ચા કરી.