રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું સંસદના બન્ને ગૃહોની સંયુક્ત બેઠકમાં સંબોધન
Live TV
-
રાષ્ટ્રપતિના અભિભાષણમાં સરકારની નીતિઓ , પ્રાથમિક્તાઓ અને યોજનાઓની હશે રૂપરેખા.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંસદના સેન્ટ્રલ હોલમાં લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સત્રને સંબોધન કર્યું હતું. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, નવી સરકાર સબકા સાથ, સબકા વિકાસ, સબ કા વિશ્વાસના હેતુથી નવી સરકાર આગળ ચાલી રહી છે. દરેક લોકોએ આત્મ સન્માન સાથે જીવતાં શીખવાનું છે.
આ ઉપરાંત રાષ્ટ્રપતિએ પોતાના અભિભાષણમાં એ પણ કહ્યું હતું કે શપથ લેતા જ સરકાર નવા ભારતના નિર્માણમાં જોડાઈ ગઈ છે. નવા ભારતમાં વિકાસનો લાભ દરેક વ્યક્તિને મળશે. સરકાર 2022 સુધીમાં નવા ભારતનું લક્ષ્ય પુરૂ કરવા માટે કટિબદ્ધ છે.
આ ઉપરાંત રામનાથ કોવિંદે કહ્યું હતું કે, 'મહાત્મા ગાંધીની 150મી જયંતી પછી 17મી લોકસભાના પહેલાં સત્રને સંબોધતા મને ખુશી થઈ રહી છે. તદુપરાંત તેમણે ગરમીમાં ભારે મતદાન માટે દરેક મતદાતાનો આભાર પણ માન્યો હતો. આ ઉપરાંત તેમણે લોકસભાના નવા અધ્યક્ષ ઓમ બિરલાને પણ શુભેચ્છા પાઠવી હતી.
રાષ્ટ્રપતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંને ગૃહના સાંસદોને બેઠકની સાથે ડિનરનું પણ આંમત્રણ આપ્યું છે. નોંધનીય છે કે આજથી શરુ થતું રાજ્યસભાનું સત્ર 26 જુલાઈ સુધી ચાલશે.